સંજીવની લઇને નીકળ્યો છું….
શિક્ષણ ના આ બોજ માંથી મુક્ત થઈને ને ફરી એક વાર હું સંજીવની લઈને નીકળ્યો છું..
સમાજ ના ભારણ માંથી સંબંધો સાચવી ફરી એક વાર હું સંજીવની લઈને નીકળ્યો છું…
આળસ ની જંજાળ માંથી જાગૃત થઈને ફરી એક વાર હું સંજીવની લઈને નીકળ્યો છું….
દુશ્મનાવટ છોડી મૈત્રી ના સંબંધો સાથે ફરી એક વાર હું સંજીવની લઈને નીકળ્યો છું…..
દુનિયા નો ભય છોડી ‘સ્વ’ બનીને ફરી એક વાર હું સંજીવની લઈને નીકળ્યો છું..
©Mitesh Rajgor